વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી 108 ની ટીમ : તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી..

Worldwide Views: 28
0 0
Spread the love

Read Time:7 Minute, 10 Second

વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ પહોંચી 108 ની ટીમ : તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી અમદાવાદ : (વસંત મહેતા દ્વારા ) કોઈ પણ અકસ્માત કે દુર્ઘટના પછી સૌથી પહેલી જરૂરિયાત હોય છે, ઘાયલોના બચાવ અને તેમને સમયસર સારવાર મળે તે. તા.૧૨મી જૂનના એ ગોઝારા દિવસે અમદાવાદથી એરઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-૧૭૧એ ટેક ઑફ કર્યાં બાદ તુરંત જ ક્રેશ થઈ.
ત્યાર બાદ માત્ર ત્રણ જ મિનિટમાં ૧૦૮ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારે દુર્ઘટના સમયે સૌથી પહેલાં બચાવ માટે પહોંચેલી ૧૦૮ની ટીમના સભ્યો તેમને થયેલા જાત અનુભવ, એ વખતની તેમની મનોસ્થિતિ અને નજરે જોયેલા દૃશ્યો વિશે શું કહે છે?
‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો’: સતિંદરસિંઘ સંધૂ, સુપરવાઈઝર-૧૦૮
‘લગભગ બપોરે ૧:૪૦નો સમય થયો હશે. હજી તો મેં મોઢામાં પહેલો કોળિયો મૂક્યો જ હતો, ત્યાં એક મોટો ધડાકો સંભળાયો. તુરંત હું દોડતો બહાર ગયો અને જોયું, તો હોસ્પિટલ મેસ તરફ ધુમાડાના ગોટેગોટા ઊડતાં જોયા.
મને ખ્યાલ આવી ગયો કે કંઈક તો મોટું બન્યું છે. મેં તરત ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં હાજર તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને જે તરફ ધુમાડો દેખાતો હતો, ત્યાં પહોંચી જવા કહ્યું. અને રસ્તામાંથી જ મેં અમારા પ્રોગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહીને ફોન કર્યો કે કોઈ મોટી ઘટના બની છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે.’
આ શબ્દો છે, અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સૌ પ્રથમ રિસ્પોન્સ આપનાર ૧૦૮ના સુપરવાઈઝર શ્રી સતિંદરસિંઘ સંધુના. તેઓ વર્ષોથી જીવીકે-ઈએમઆરઆઈ સાથે જોડાયેલા છે અને પરિસ્થિતિની ગંભીરતા પારખીને તરત જ વધારાની ૧૦૮-મોકલવા કંટ્રોલ રૂમને જાણ કરી, જેના કારણે માત્ર ત્રણ જ મિનિટમાં બચાવ માટે મદદ પહોંચી ગઈ.
સુપરવાઇઝર સંધૂનો મને ફોન આવ્યો કે તરત નજીકના સ્પોટ પરની પચ્ચીસ જેટલી ૧૦૮-એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી દીધી’- જિતેન્દ્ર શાહી, પ્રોગ્રામ મેનેજર આ અંગે ૧૦૮ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જિતેન્દ્ર શાહીએ જણાવ્યું કે, ‘લગભગ બપોરના ૧:૪૦નો સમય થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડિપ્લોય્ડ અમારા ઈએમઈ સતિંદરસિંઘ સંધુનો મારા પર ફોન આવ્યો કે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે.
આટલું સાંભળતાં જ મેં નજીકના સ્પોટ પરથી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સને તરત ઘોડા કેમ્પ પહોંચી જવા મેસેજ મોકલી દીધો અને ગણતરીની મિનિટોમાં જ પચ્ચીસ ૧૦૮ ત્યાં પહોંચી ગઈ અને ત્યાર બાદ દસ વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.’
‘એ વખતે મને ખબર નહોતી કે હું જેનો હાથ પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યો છું, તે વિમાન દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમાર છે’ -ચિરાગ સંતોકી, એચબીસી
૧૦૮ ઈમરજન્સી સર્વિસીસના સતિંદરસિંઘ સંધૂની સાથે સૌ પ્રથમ પહોંચી જનાર ટીમોમાંથી એક ટીમ હતી, ચિરાગ સંતોકી, ઈએમટી ચિંતન વણકર અને પાયલોટ ધર્મેન્દ્ર પટેલની.
ધડાકો થતાં જ ભોજન છોડીને સીધા જ ઘટનાસ્થળે પહોંચેલા સંધૂએ ત્યાંથી સૌ પહેલાં ઘાયલ થયેલા રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલના સિક્યૉરિટી ગાર્ડને ૧૦૮માં બેસાડીને સિવિલ મોકલી આપ્યો હતો. ત્યારે હોસ્ટેલના દરવાજામાંથી કોઈ વ્યક્તિ દોડતી બહાર આવી રહી હતી. સતિંદરસિંઘે પોતાની સાથે રહેલાં એચબીસી ચિરાગ સંતોકીને આ વ્યક્તિને લઈ જવા કહ્યું.
આ અંગે ચિરાગ સંતોકીએ કહ્યું કે, ‘દુર્ઘટનાથી હતપ્રભ બનેલો એ વ્યક્તિ તેની સાથે પણ બીજા લોકો છે એવું સતત બબડતો હતો. મેં તેને સાંત્વના આપી, ધીરજ રાખવા કહ્યું અને તેને ૧૦૮માં બેસાડીને તુરંત હોસ્પિટલ મોકલી આપ્યો.’
‘મોડેથી મારા અધિકારીઓ અને મિત્રોએ મને જણાવ્યું કે મેં જેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો તે જ વ્યક્તિ દુર્ઘટનાનો એક માત્ર સર્વાઇવર હતો.
‘ઓપરેશન શિલ્ડ વખતે અમને અપાયેલી તાલીમ કામ આવી’: ચિંતન વણકર, ઈએમટી
અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમારને ૧૦૮માં હોસ્પિટલ પહોંચાડનાર ટીમ માટે પણ આટલી મોટી દુર્ઘટનામાં કામગીરી કરવાનો અનુભવ લગભગ સૌથી પહેલો જ હતો. જેથી તેમના માટે પણ ગભરાવું અને હચમચી જવું સ્વાભાવિક હતું. પરંતુ ૧૦૮ની ટીમને આ અંગે પૂરતી તાલીમ આપવામાં આવતી હોય છે. જેના કારણે અનેક ઘાયલોને શાંત કરવાથી માંડીને તેમને સાંત્વના આપવામાં સહાયતા મળી રહી. આ અંગે ૧૦૮-એમ્બ્યુલન્સના ઈએમટી ચિંતન વણકરે જણાવ્યું કે ‘આટલી મોટી દુર્ઘટના જોઈને સૌ પ્રથમ તો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો. થોડો ગભરાટ પણ થયો, પરંતુ તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આ જ આપણી ખરી કસોટી છે.’
‘અમને ૧૦૮ સેવામાં જોડાતાં પહેલાં દર્દીને શાંત કરવા અને તેને માનસિક રીતે રાહત આપવા કાઉન્સેલિંગની તાલીમ પણ આપવામાં આવે છે. એટલું જ નહીં, ગયા મહિને ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી. જે અનુભવ પણ તાજો જ હતો. એટલે મેં વિશ્વાસ કુમારને શાંત પાડ્યો અને તુરંત હોસ્પિટલે લાવીને તેની સારવાર શરૂ કરાવી. ત્યાર બાદ અમે સીધા જ બીજા ઘાયલોની મદદ માટે ફરીથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.’

Dr Rajesh

About Post Author

Dr Rajesh

Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
  • Dr Rajesh

    Dr Rajesh

    Motivation,Media, Spiritual, Leadership, Social service, Marketing, Strategy maker, Business etc

    Related Posts

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    Spread the love

    Spread the love          મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, રાજેશ ભોજક સહિત સમાજ ના વિવિધ અગ્રણીઓ આ ઉજવણી માં દેશભક્તિના રંગે રંગાયા.નાયક ભોજક વ્યાસ સમાજ પણ વર્ષોથી…


    Spread the love

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    Spread the love

    Spread the love          15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ। ਮਾਨਯੋਗ ਕੈਬਨਿਟ ਮੰਤਰੀ ਪੰਜਾਬ ਸ੍ਰੀ ਸੰਜੀਵ ਅਰੋੜਾ ਵੱਲੋ ਤਿਰੰਗਾ ਲਹਿਰਾਉਣ ਦੀ ਰਸਮ…


    Spread the love

    Average Rating

    5 Star
    0%
    4 Star
    0%
    3 Star
    0%
    2 Star
    0%
    1 Star
    0%

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    મુંબઈ સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    મુંબઈ  સહિત ભારતભરમાં 15 ઓગસ્ટ ની ઉજવણી:ગૌરાંગ નાયક, દેવેન વકીલ, ડૉ રાજેશ ભોજક સહિત સમાજના વિવિધ અગ્રણીઓ આ ઉજવણીમાં દેશભક્તિના રંગે રંગાયા

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    15ਅਗਸਤ2025 ਨੂੰ ਭਾਰਤੀ ਸੁਤੰਤਰਤਾ ਦਿਵਸ ਪੁਲਿਸ ਲਾਈਨ ਸੰਗਰੂਰ ਵਿਖੇ ਬਹੁਤ ਹੀ ਪ੍ਰਭਾਵਸ਼ਾਲੀ ਢੰਗ ਨਾਲ ਮਨਾਇਆ ਗਿਆ।

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    કૃષ્ણ પરમ આનંદ છે: ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર કહે છે…દરેક આનંદની શોધમાં ઈશ્વર જ સર્વસ્વ છે..

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    Full Paisa Vasool Sale at SMART Bazaar – Big Savings for Every Corner of Your Home

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    रक्तदान महाअभियान में किया जाएगा एक लाख यूनिट रक्तदान:१७ अगस्त को ब्रह्माकुमारी संस्था बनाएगी विश्व रिकॉर्ड

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली

    तिरंगा यात्रा से देशभक्ति तथा नशमुक्ति से देश का विकास-एसडीएम:ब्रह्माकुमारीज से निकली तिरंगा यात्रा और नशामुक्ति साईकिल रैली