
આજરોજ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલ તેરાપંથ સભા ભવન ખાતે રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવ દેવનાનીજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીજીનું નાગરિક અભિવાદન સમારોહ રાજસ્થાન યુવા મંચ અને રાજસ્થાન સાંસ્કૃતિક મંચ દ્વારા યોજાયો.
————————————-
આજના આ નાગરિક અભિવાદન સમારોહમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવજી દેવનાની અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજસ્થાન પ્રાંતના પ્રવાસી સર્વ સમાજના પ્રતિનિધિશ્રી, આગેવાનશ્રી ઉપસ્થિત રહ્યા અને બંને વિધાનસભાના અધ્યક્ષશ્રીનું સ્વાગત સત્કાર કર્યું. વિવિધ વેપારી સંગઠનના પદાધિકારીશ્રીઓ, વિવિધ સામાજિક સંસ્થાના અગ્રણીશ્રી ઉપસ્થિત રહી અધ્યક્ષશ્રીનું સ્વાગત કર્યું.
આજના આ પ્રસંગે મહાનગરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા અને સૌ નગરજનોને અમદાવાદને સ્વચ્છ શહેરોમાં સ્થાન અપાવવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ આવનારા શ્રી ગણેશ મહોત્સવ અંતર્ગત માટીમાંથી બનેલ ગણેશજીની પ્રતિમા ઉપયોગ કરવાના મ્યુનિસિપલ કૉરપોરેશનના આયોજનો અંગે સૌને માહિતગાર કર્યા તેમજ ગણેશજીની પ્રતિમા દ્વારા અધ્યક્ષજીનું સ્વાગત સત્કાર કર્યું.
રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી દેવનાનીજીએ સૌને સંબોધતા જણાવ્યું કે શ્રાવણ માસ દરમ્યાન ગુજરાતના બેદિવસીય પ્રવાસ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરવાનો લ્હાવો મળ્યો અને સાથે સાથે દ્વારકાજીના દર્શન અને ગિરની મુલાકાત કરવાનો પણ અવસર સાંપડ્યો. ગુજરાત અને રાજસ્થાન રાજ્યો બંને ભાઈઓ છે અને બંને રાજ્યોના નાગરિકો દૂધમાં શક્કર ભળી જાય તેવી રીતે હળીમળીને સૌનો સાથે વિકાસ થાય તે માટે કાર્યરત છે.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષશ્રી વાસુદેવજી દેવનાનીને આવકાર્યા અને ગુજરાતમાં પ્રવાસ દરમ્યાન સમય કાઢીને ગુજરાતમાં વસતા રાજસ્થાની સમાજની ચિંતા કરીને મળવા પધાર્યા તે બદલ અભિનંદન પાઠવ્યા. શ્રી ચૌધરીએ ઉપસ્થિત સૌને સાથે મળીને બંને રાજ્યોના વિકાસમાં સહભાગી થવા અપીલ કરી.
આજના આ પ્રસંગે બાપુનગર વિધાનસભાના ધારાસભ્યશ્રી દિનેશસિંહજી કુશવાહ, રાજસ્થાન હોસ્પિટલના ચેરમેનશ્રી પી આર કાંકરીયા, અગ્રણીશ્રી કિશનદાજી અગ્રવાલ, અગ્રણીશ્રી શ્રવણજી રાવ ઉપસ્થિત રહ્યા હતા.
प
आज अहमदाबाद के शाहिबाग क्षेत्र स्थित तेरापंथ सभा भवन में राजस्थान विधानसभा के अध्यक्ष श्री वासुदेव देवनानी जी एवं गुजरात विधानसभा के अध्यक्ष श्री शंकरभाई चौधरी जी का नागरिक अभिनंदन समारोह राजस्थान युवा मंच एवं राजस्थान सांस्कृतिक मंच द्वारा आयोजित किया गया।
इस नागरिक अभिनंदन समारोह में राजस्थान विधानसभा के अध्यक्ष श्री वासुदेव जी देवनानी और गुजरात विधानसभा के अध्यक्ष श्री शंकरभाई चौधरी उपस्थित रहे। समारोह में राजस्थान प्रांत के प्रवासी सर्व समाज के गणमान्य प्रतिनिधि एवं अग्रणी नेता उपस्थित हुए और दोनों विधानसभा अध्यक्षों का स्वागत-सत्कार किया। विभिन्न व्यापारी संगठनों के पदाधिकारियों एवं विभिन्न सामाजिक संस्थाओं के प्रमुख गणमान्यजन उपस्थित रहकर अध्यक्ष महोदय का स्वागत किया।
इस अवसर पर नगर निगम की महापौर श्रीमती प्रतिभाबेन जैन ने स्वागत भाषण देकर सभी का अभिनंदन किया तथा नगरवासियों को अहमदाबाद को स्वच्छ शहरों में स्थान दिलाने के लिए बधाई दी। उन्होंने आगामी श्री गणेश महोत्सव के अंतर्गत मिट्टी से निर्मित गणेश प्रतिमाओं के उपयोग हेतु नगर निगम के आयोजनों की जानकारी दी तथा गणेश प्रतिमा भेंट कर अध्यक्ष महोदय का स्वागत-सत्कार किया।
राजस्थान विधानसभा के अध्यक्ष श्री वासुदेव जी देवनानी ने अपने संबोधन में कहा कि श्रावण मास के दौरान गुजरात के द्विदिवसीय प्रवास में प्रथम ज्योतिर्लिंग की पूजा-अर्चना करने का सौभाग्य प्राप्त हुआ, साथ ही द्वारकाधीश के दर्शन और गिर की यात्रा का अवसर भी मिला। गुजरात और राजस्थान दोनों राज्य भाई हैं और इन राज्यों के नागरिक दूध में शक्कर की तरह मिलकर सौहार्दपूर्ण वातावरण में सभी के विकास के लिए कार्यरत हैं।
इस अवसर पर गुजरात विधानसभा के अध्यक्ष श्री शंकरभाई चौधरी ने राजस्थान विधानसभा के अध्यक्ष श्री वासुदेव जी देवनानी का स्वागत करते हुए कहा कि गुजरात प्रवास के दौरान समय निकालकर गुजरात में बसे राजस्थानी समाज की चिंता करते हुए मिलने पधारे, इसके लिए वे बधाई के पात्र हैं। श्री चौधरी ने उपस्थित सभी लोगों से आग्रह किया कि वे दोनों राज्यों के विकास में मिलकर योगदान दें।
आज के समारोह में बापूनगर विधानसभा के लोकप्रिय विधायक श्री दिनेश सिंहजी कुशवाह, राजस्थान हॉस्पिटल के चेरमैन श्री पी आर कंकरिया, सामाजिक अग्रणी श्री किशन दासजी अग्रवाल, श्री श्रवणजी राव उपस्थित रहे!
🙏